Price: ₹183.75 - ₹141.75
(as of Apr 13, 2025 21:19:11 UTC – Details)
આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાં રહેલો છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પૅરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ દરેક વાલીને!
જગતના મહાનુભાવો, વિચારકો, વિજ્ઞાનીઓ અને મહાત્માઓએ પોતાના સંતાનોને લખેલા અદ્ભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ-ઉછેર અને બાળ-કેળવણીના ગહન વિચારો વાંચ્યા પછી સમજાય છે કે આ પત્ર લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર તેમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે.
આ પુસ્તક ફક્ત વાંચવા માટે નહીં, વસાવવા, વહેંચવા અને આત્મસાત્ કરવા માટે છે. અંદર રહેલા પત્રો કે પ્રસંગોમાંથી એકાદ ઘટના પણ જો આપણા અંતરમનની બારી ખોલી શકે, તો આ પુસ્તકનું પ્રાગટ્ય સાર્થક થયું ગણાશે.
– ડૉ. નિમિત્ત ઓઝા
ASIN : B09Z2MTXS5
Publisher : R.R. SHETH & CO. PVT. LTD. (28 April 2022)
Language : Gujarati
File size : 3.3 MB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 148 pages